નાણાકીય સાક્ષરતા: એક આવશ્યક જીવન કૌશલ્ય

Abstract

આધુનિક વૈશ્વિક અર્થતંત્રમાં નાણાકીય સાક્ષરતા વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ કૌશલ્ય બની ગઈ છે. નાણાકીય સાક્ષરતા એ એવી ક્ષમતા છે જે વ્યક્તિને આવક, ખર્ચ, બચત, રોકાણ અને દેવું સંચાલન અંગે યોગ્ય અને જવાબદાર નિર્ણય લેવામાં સક્ષમ બનાવે છે. આજની સમયમાં ડિજિટલ બેંકિંગ, ક્રેડિટ સુવિધાઓ અને વિવિધ રોકાણ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી નાણાકીય જ્ઞાનનું મહત્વ વધી ગયું છે. સંશોધન દર્શાવે છે કે નાણાકીય સાક્ષરતા વ્યક્તિની બચત વર્તન, બજેટિંગ અને રોકાણ નિર્ણયોમાં હકારાત્મક અસર કરે છે (Chauhan, 2025). ખાસ કરીને યુવા પેઢીમાં નાણાકીય જ્ઞાનનો અભાવ જોવા મળે છે, જેના કારણે તેઓ ભવિષ્યમાં ખોટા નાણાકીય નિર્ણય લઈ શકે છે (Murarka & Oates, 2020). આ સંશોધન લેખમાં નાણાકીય સાક્ષરતાની સંકલ્પના, તેના મુખ્ય ઘટકો અને શાળા કક્ષાએ નાણાકીય શિક્ષણના મહત્વનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

Description

Citation

Endorsement

Review

Supplemented By

Referenced By